ઇન્ડોનેશિયા: ફૂટબોલ મેચ દરમિયાન થયેલ ભાગદોડમાં 125 લોકોના મૃત્યુ
Live TV
-
BRI લીગ-વનને એક સપ્તાહ માટે અટકાવી દીધી છે.
ઇન્ડોનેશિયાના પૂર્વી જાવા ક્ષેત્રમાં ફૂટબોલ મેચ દરમિયાન થયેલ ભાગદોડમાં 125 લોકોના મૃત્યુ અને 320 લોકો ઇજાગ્રસ્ત બનતા ઇન્ડેનેશિયાની ટોચની લીગ BRI લીગ-વનને એક સપ્તાહ માટે અટકાવી દીધી છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિેએ આ બનાવમાં તપાસના આદેશ આપ્યાં છે.. જ્યારે ફીફીએ ઇન્ડોનેશિયાના ફુટબોલ સંઘ પાસેથી અહેવાલ મંગાવ્યો છે.. વિદેશમંત્રી એસ.જયશંકરે આ બનાવ અંગે દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે એક ટ્વીટ સંદેશમાં કહ્યું કે, ફુટબોલ સ્ટેડિયમમાં બનેલ દુર્ધટનાથી દુ:ખ થયું છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો અને ઇન્ડોનેશિયન મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા સાથે, ઘાયલો વહેલાસર સ્વસ્થ બને તેવી કામના કરી હતી.
