ઈસ્ટર રવિવારે થયેલ હુમલાના આત્મઘાતી હુમલાખોરોનો ISIS થી સીધો સંબંધ છે: શ્રીલંકાના રાષ્ટ્રપતિ
Live TV
-
રાષ્ટ્રપતિએ એક સમાચાર ચેનલને આપેલ માહિતીમાં જણાવ્યું હતું કે, આ આતંકી સંગઠને હુમલાખોરોને સંપૂર્ણ તાલીમ આપી હતી.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ, મૈત્રીપાલ સિરિ-સેના એ જણાવ્યું છે કે, ઈન્ટેલિજન્સ બ્યુરોએ કહ્યું છે કે, ઈસ્ટર રવિવારે થયેલ હુમલાના આત્મઘાતી હુમલાખોરોનો I.S.I.S. થી સીધો સંબંધ છે. રાષ્ટ્રપતિએ એક સમાચાર ચેનલને આપેલ માહિતીમાં જણાવ્યું હતું કે, આ આતંકી સંગઠને હુમલાખોરોને સંપૂર્ણ તાલીમ આપી હતી. આ અગાઉ સિરિ-સેનાએ જણાવ્યું હતું કે, દેશમાં I.S.I.S. પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકોની સંખ્યા 140 હોઈ શકે છે અને તેમની ધરપકડની પ્રક્રિયા શરૂ છે. ઈસ્ટર રવિવારે ઈસ્લામિક આતંકવાદીઓના હુમલામાં 250થી વધુ લોકોના મૃત્યુ થયા હતા, જેમાં 42 વિદેશી પણ સામેલ હતા.
