ઈસ્લામિક દેશોના મંચ પરથી ભારત ખોલશે પાકિસ્તાનની પોલ
Live TV
-
ઈસ્લામિક દેશોના સંગઠન OICમાં હાજરી આપવા અબુધાબી પહોંચ્યા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ. ભારતને નિમંત્રણ ન આપવા, પાકિસ્તાને બનાવ્યું હતું દબાણ. OICએ ન આપ્યો ભાવ ,કરશે જોરદાર સ્વાગત
ઈસ્લામી સહયોગ સંગઠનની વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ગઈ મોડી રાતે અબુધાબી પહોંચ્યા હતા. ભારતના અબુધાબી ખાતેના રાજદૂત નવદીપ સુટી અને યુએઆઈના આંતરરાષ્ટ્રીય વિકાસ સહાયક મંત્રીએ તેમનું સ્વાગત કર્યું હતું.
તેઓ આજે સંગઠનની પ્રથમ પૂર્ણ બેઠકમાં ભાગ લેશે. પહેલીવાર બન્યું છે કે, ભારતને સન્માનિત અતિથિના રૂપમાં ઓઆઈસીની બેઠકમાં નિમંત્રણ મળ્યું છે. ઈસ્લામી સહયોગ સંગઠન તે 57 ઇસ્લામી દેશોનું સંગઠન છે.
