ઉપરાષ્ટ્રપતિ નાયડુ ભારતીય સશસ્ત્રદળ સ્મારકનું ઉદઘાટન કરશે
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડૂ પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્તિ શતાબ્દી સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડૂ ફ્રાન્સની ત્રણ દિવસની મુલાકાતે છે. તેઓ પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્તિ શતાબ્દી સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુઅલ મેક્રો આ સમારંભનું અદ્યક્ષપદ સંભાળવાના છે. ઉપરાષ્ટ્રપતિ નાયડુ ભારતીય સશસ્ત્રદળ સ્મારકનું ઉદઘાટન પણ કરવાના છે. પેરીસ પીસ ફોરમ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ દ્વિપક્ષીય મંત્રણામાં પણ ભાગ લેશે. ગઈકાલે શુક્રવારે ઉપરાષ્ટ્રપતિએ ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતુ. તેમણે જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે સંબંધો કેળવવામાં સમુદાયનું મોટું પ્રદાન છે.
