એન્જેલા મર્કેલ : કોરોના મહામારીના પ્રથમ તબક્કાની સમાપ્તિ
Live TV
-
જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે દેશમાં કોરોનાવાયરસથી થતાં લોકડાઉનમાં રાહત આપવાનાં પગલાંની જાહેરાત કરી છે. મર્કેલે કહ્યુ છે કે રોગચાળોનો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે પરંતુ હજી હજી લાંબી મજલ કાપવાની બાકી છે.
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનામાં જર્મનીમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને છેલ્લા કેટલાક દિવસોથી ચેપનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. હાલમાં, તે સરેરાશ એક વ્યક્તિથી એક વ્યક્તિમાં ફેલાય તેવી સંભાવના છે.સરકારે નક્કી કરેલા પગલાઓને ધ્યાનમાં રાખીને, બે પરિવારોના લોકોને મળવાની છૂટ આપવામાં આવશે, અને બધી સાવચેતીઓનું પાલન કરવામાં આવે તો વધુ દુકાનો ખોલવામાં આવશે.
જો કે, જાહેર વાહનોમાં મુસાફરી દરમિયાન દો મીટરનું અંતર, મોં અને નાકને આવરી લેવા માટેની માર્ગદર્શિકા યથાવત રહેશે. કોરોના વાયરસના સંક્રમણના અત્યાર સુધી 1 લાખ 68 હજાર 162 કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે 7275 લોકોનાં મોત નીપજ્યાં છે.
