કોરોના વાયરસની દહેશત યથાવત્: ચીનમાં અત્યાર સુધી 490 લોકોના મોત
Live TV
-
કોરોના વાયરસને અટકાવવા ચીન દરેક પ્રકારે પ્રયાસ કરી રહ્યું છે. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 490 લોકોના મૃત્યુની ચીને પુષ્ટી કરી છે..અત્યાર સુધીમાં 24 હજાર 324 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ત્રણ હજાર 214 શંકાસ્પદ કેસની તપાસ થઈ રહી છે..અને કુલ એક લાખ 71 હજાર 29 લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે. G-7 દેશોના આરોગ્ય મંત્રીઓએ કોરોના વાયરસના પ્રકોપનો સાથે મળીને સામનો કરવા સંમતિ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં જર્મનીના આરોગ્ય મંત્રી ગઈકાલે બ્રિટન અને ફ્રાન્સના આરોગ્ય મંત્રીને મળ્યા હતા. WHOએ કોરોના વાયરસને વૈશ્વિક કટોકટી જાહેર કર્યો છે. WHOના પ્રમુખે કહ્યું કે કોરોના વાયરસના પ્રકોપને રોકવાના પ્રયાસ આંતર રાષ્ટ્રીય પરિવહન અને વેપારમાં બિનજરૂરી હસ્તક્ષેપની જરૂર નથી..
