કોવિડ-19 અન્ય કોરોના વાયરસની જેમ ભયંકર નથી: WHO
Live TV
-
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે નોવેલ કોરોના વાયરસ સંક્રમણને લઈને તમામ જગ્યાએ એકસમાન ઉપાય લાગુ કરવાની જરૂરત નથી..WHOએ કહ્યું કે ચીન બહાર આ સંક્રમણની બહુ મામૂલી અસર છે...સંગઠને કહ્યું કે કોવિડ-19, કોરોના વાયરસ તેની પહેલાના અન્ય સંક્રમણ જેવા કે સાર્સ કે મર્સની સરખામણીએ ઓછો જોખમી છે...
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ સલાહને ફગાવી દીધો છે કે તમામ ક્રૂઝ વહાણોને જાપાનના ડાયમંડ પ્રિંસેઝ ક્રૂઝની જેમ રોકીને અલગ-થલગ રાખવામાં આવે..WHOએ કહ્યું કે નિયંત્રણ ઉપાય સ્થિતિના સંદર્ભમાં હોવો જોઈએ, એક સમાન ઉપાય કારગર નહીં નીવડે..

મહત્વનું છે કે કોવિડ-19થી ચીનમાં અત્યાર સુધી 70,500થી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 1800થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે..જેના કારણે ઉત્પાદન અને પ્રવાસ ગતિવિધિઓને ઘણું નુકસાન પહોંચ્યું છે..ફ્લાઈ્ટ અને સમુદ્રી પરિવહન પર ઘણા પ્રકારની યાત્રા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે
