ક્રિસમસ નિમિત્તે ચર્ચમાં યોજાઈ વિશેષ પ્રાર્થના સભા
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ.વૈકેંયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
દુનિયાભરમાં ક્રિસમસની ધૂમ મચી છે. ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભા યોજાઈ રહી છે. આ તહેવારો નિમિત્તે બજારો અને ઘરોમાં ખાસ સજાવટ કરવામાં આવી છે. ભારતમાં પણ ચર્ચ અને બજારને શણગારવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ.વૈકેંયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ઈશા મસીહ શાંતિ, સદભાવ અને આશાનું પ્રતિક છે અને ક્રિસમસ માનવીય મૂલ્યોનો ઉત્સવ છે. તો આ તરફ ઈટલીના વેટીકનમાં વિશેષ પ્રાર્થના સભા આયોજિત કરાઈ હતી. આ અવસરે સંદેશમાં પોપ ફ્રાન્સીસે અમીર અને ગરીબો વચ્ચેનો ભેદ ખત્મ કરવા આહવાન કર્યું હતું.
