જાપાનઃ મિયાગી અને ફુકુસિમામાં આવેલા 7.3ની તીવ્રતાના ભૂકંપમાં 2 લોકોનાં મોત, સુનામીની ચેતવણી અપાઈ
Live TV
-
જાપાનના મિયાગી અને ફુકુસિમા વિસ્તારમાં ગઇ કાલે ભૂકંપના જોરદાર કંપન અનુભવાયા હતાં. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતા 7.3ની નોંધાઈ હતી. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત અને 100 થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. આ બનાવના પગલે લાખો લોકોના ઘરોમાંથી વીજળી વ્યવહાર ખોરવાયો છે. ભૂકંપ ફુકુસિમા સમુદ્રથી 60 કિલોમીટરની ઊંડાઇ પર કેન્દ્રીત હતો. આ અગાઉ આ જ વર્ષે 22 જાન્યુઆરીના રોજ જાપાનના દક્ષિણ- પશ્રિમી અને પશ્રિમી ક્ષેત્રમાં ભૂકંપ અનુભવાયો હતો.
ફુકુસિમા વિસ્તારમાં વર્ષ 2011માં મોટો ભૂકંપ આવ્યો હતો અને પછી સુનામી આવી હતી. આ સુનામીમાં ફુકુશિમા પરમાણુ દુર્ઘટના બની હતી અને મોટું નુકસાન થયું હતું. આ સુનામીને કારણે લગભગ 18,500 લોકો માર્યા ગયા હતા અને ગુમ થયા હતા. જાપાન પેસિફિક "રીંગ ઓફ ફાયર" પર આવે છે, તેથી આ વિસ્તારમાં નિયમિતપણે ભૂકંપ આવતા રહે છે.
