નેપાળના કાઠમાંડુમાં આવેલા પશુપતિનાથ મંદિરમાં ભક્તોની ભીડ
Live TV
-
નેપાળમાં મહાશિવરાત્રીનો તહેવાર ધાર્મિક આસ્થા અને ઉમંગથી ઉજવવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી હજારો ભક્તો કાઠમાંડુના પ્રખ્યાત પશુપતિનાથ મંદિરમાં પ્રાર્થના કરી રહ્યા છે.
નેપાળમાં મહાશિવરાત્રીનો તહેવાર ધાર્મિક આસ્થા અને ઉમંગથી ઉજવવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી હજારો ભક્તો કાઠમાંડુના પ્રખ્યાત પશુપતિનાથ મંદિરમાં પ્રાર્થના કરી રહ્યા છે. સવારે 3 વાગ્યાથી મંદિરના ચારેય દરવાજા ખુલ્લા છે. ઓમ નમ શિવાયના જાપની વચ્ચે, નાગાબાબા અને હજારો સાધુ-સંન્યાસીઓએ વિશેષ પૂજા-વિધિ કરી રહ્યા છે. મહાશિવરાત્રી પર ભગવાન પશુપતિનાથની મુલાકાત માટે નેપાળ, ભારત અને અન્ય દેશોના દસ લાખથી વધુ ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ વખત પશુપતિનાથ મંદિરને વિદેશથી ખાસ રંગીન ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
