નેપાળમાં કોરોના વાયરસના ત્રણ નવા કેસ, કુલ કેસની સંખ્યા 12 થઈ
Live TV
-
દેશમાં અત્યાર સુધીમાં 5184 ટેસ્ટ લેવામાં આવ્યા
નેપાળના આરોગ્ય અને વસ્તી મંત્રાલયના પ્રવક્તા ડો.બિકાશ દેવકોટાએ રવિવારે કાઠમંડુમાં પોતાની નિયમિત મીડિયા બ્રીફિંગમાં કહ્યું હતું કે ત્રણ વ્યક્તિઓના પરીક્ષણ પરિણામો પોઝિટિવ મળ્યાં છે. તેમણે કહ્યું કે તેઓની બીરગંજ ખાતે સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સામાન્ય છે.દેવોકોટાએ માહિતી આપી હતી કે દેશમાં અત્યાર સુધીમાં 5184 ટેસ્ટ લેવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 795 નમૂનાઓ ચકાસાયેલ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, 7,973 લોકોને કોરન્ટાઈનમાં રખાયા છે જ્યારે 85 લોકોને આઈસોલેશનમાં રખાયા છે..
