નેપાળમાં વાવાઝોડુ, વીજળી પડવાથી 27ના મોત
Live TV
-
નેપાળના બારા અને પરસા જિલ્લામાં આવેલ વાવાઝોડુ અને વિજળી પડવાથી લગભગ 27 લોકોના મોત થયા છે. જ્યારે 500 કરતા વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બનતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કે.પી.શર્માઓલીએ આ બનાવ અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે. નેપાળના ગૃહમંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બારા જિલ્લામાં 26 જ્યારે પરસા જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. તેમજ ઈજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
