નોબલ પ્રાઈઝ 2023: સાયકોલોજી અને મેડિસીન માટે કેટાલિન કેરીકો અને ડ્રૂ વેઇસમેનને નોબેલ પારિતોષિક એનાયત કરાયું
Live TV
-
2023ના નોબલ પ્રાઈઝની ધોષણા કરવામાં આવી છે. જેમાં સાયકોલોજી અને મેડિસીન માટે કેટાલિન કેરીકો અને ડ્રૂ વેઇસમેનને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. કોવિડ-19 સામે અસરકારક mRNA રસી બનાવવા માટે તેમને આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર તબીબી વિજ્ઞાનના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન માટે આપવામાં આવે છે. ગત વર્ષે સ્વાંતે પાબોએ પુરસ્કાર જીત્યો હતા, જેમને નિએન્ડરટલ ડીએનએ સિક્વન્સ અને આધુનિક માનવીઓની ઉત્પત્તિને સમજવા માટે તેમણે કરેલા સંશોધન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
