પાકિસ્તાનના કરાંચીમાં ચીની દૂતાવાસ પાસે આતંકી હુમલો
Live TV
-
આતંકીઓના અંધાધૂંધ ગોળીબારમાં 2 પાકિસ્તાની ગાર્ડસના મોત, 3 આતંકીને સુરક્ષાદળોએ કર્યા ઠાર
પાકિસ્તાનના કરાંચીમાં ચીની વાણિજ્ય દૂતાવાસમાં 3થી ચાર આતંકવાદી ઘૂસી ગયા હતા. આતંકીઓના ગોળીબારમાં બે ગાર્ડસના મોત થયા છે. સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર માર્યા છે. ગોળીબાર હજુ પણ ચાલુ છે. પાકિસ્તાની સમય પ્રમાણે સવારે 9.30 કલાકે ત્રાસવાદીઓએ ચીની દૂતાવાસ ખાતે હુમલો કર્યો હતો. ત્યાર બાદ તેમની અથડામણ સુરક્ષા ગાર્ડ સાથે થઈ હતી. મોટા જથ્થામાં દારૂગોળાથી સજ્જ ત્રાસવાદીઓ હજુ પણ ગોળીબાર કરી રહ્યા છે. પોલીસે જિન્હા હોસ્પિટલ ખાતે બે બોડી લાવ્યાની પુષ્ટી કરી છે. આ બનાવમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. આ ઘટના બનતાં ઘટના સ્થળે આર્મીને બોલાવવામાં આવી છે અને, વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે.
