પાકિસ્તાનના પેશાવરની મસ્જીદમાં બોમ્બ વિસ્ફોટ, 17 લોકોના મૃત્યુ થયા
Live TV
-
પાકિસ્તાનના પેશાવરની મસ્જીદમાં બપોરે બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં 17 લોકોના મૃત્યુ થયા અને અનેક લોકો ઘાયલ થયા છે. બોમ્બ વિસ્ફોટની ઘટના બની ત્યારે મસ્જિદમાં નમાઝ અદા કરવામાં આવી રહી હતી. બ્લાસ્ટને કારણે મસ્જિદનો એક ભાગ ધરાશાયી થયો છે. તેના કાટમાળમાં ઘણા લોકો દટાયા હતા. બોમ્બ વિસ્ફોટથી પેશાવર ધ્રુજી ઉઠતા ચારેય તરફ અફરા તફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, 10 મહિના અગાઉ પણ હુમલો થયો હતો જેમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા.
