પાકિસ્તાને નમતું જોખ્યું, કુલભૂષણ જાદવને ભારતીય રાજકારણીઓને મળવા અનુમતી
Live TV
-
આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણય બાદ કુલભૂષણ જાધવ મુદ્દે પાકિસ્તાન આખરે નમતું જોખ્યું છે. પાકિસ્તાને ભારતીય નાગરિક કુલભૂષણને ભારતીય રાજકારણીઓને મળવા માટેની અનુમતી આપવાની વાત કરી છે.
આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણય બાદ કુલભૂષણ જાધવ મુદ્દે પાકિસ્તાન આખરે નમતું જોખ્યું છે. પાકિસ્તાને ભારતીય નાગરિક કુલભૂષણને ભારતીય રાજકારણીઓને મળવા માટેની અનુમતી આપવાની વાત કરી છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કુલભૂષણને રાજકારણીઓને મળવા દેવા માટેની વાત કરી હતી. જાધવને વિયેના સંધિ કરાર મુજબ પોતાના અધિકારોની જાણકારી આપવામાં આવી છે. સાથે જ રાજનૈતિક સંબંધો પર વિયેના સંધિ કરારના અનુચ્છેદ 36 મુજબ તમામ જાણકારી આપવામાં આવી છે. જાધવ નૌકાદળના નિવૃત્ત અધિકારી છે, જેમણે વર્ષ 2016 માં પાકિસ્તાને જાસુસી તથા આતંકવાદના આરોપોસર મૃત્યુદંડ ફટકાર્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ચગતા પાકિસ્તાને નમતું જોખવું પડ્યું હતું.
