પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરવાના ભારત-અમેરિકાના પ્રસ્તાવને ચીને ફરીથી અવરોધ્યો
Live TV
-
મુંબઈ આતંકવાદી હુમલાના સંબંધમાં વોન્ટેડ પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરવાના ભારત અને અમેરિકાના પ્રસ્તાવને ચીને ફરી એકવાર અવરોધિત કર્યો છે. અમેરિકાએ ગઈ કાલે આ પ્રસ્તાવ મૂક્યો હતો અને ભારતે તેનું સમર્થન કર્યું હતું.
આ પ્રસ્તાવમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 અલ કાયદા પ્રતિબંધ સમિતિની જોગવાઈઓ હેઠળ સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરવા, તેની સંપત્તિઓ ફ્રીઝ કરવા અને તેના પર હિલચાલ અને શસ્ત્રો પર પ્રતિબંધ લાદવાનો સમાવેશ થાય છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ ચીને સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવમાં અવરોધ ઉભો કર્યો હતો. પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે સાજિદ મીરને 15 વર્ષની જેલની સજા ફટકારી હતી. પાકિસ્તાને એવો પણ દાવો કર્યો હતો કે સાજિદ મીરનું મૃત્યુ થયું હતું, પરંતુ પશ્ચિમી દેશોએ આ વાત પર વિશ્વાસ ન કર્યો અને તેના મૃત્યુના પુરાવા આપવા કહ્યું.
