પૂર અને ભૂસ્ખલનથી રવાંડામાં ઓછામાં ઓછા 129 અને યુગાન્ડામાં 6 લોકોના મોત
Live TV
-
રવાંડા અને યુગાન્ડામાં માર્ચના અંતથી ભારે અને સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી રવાંડામાં ઓછામાં ઓછા 129 લોકો અને યુગાન્ડામાં 6 લોકોના મોત થયા છે. યુગાન્ડાના અન્ય એલિવેટેડ વિસ્તારોમાં ભૂસ્ખલન થયા છે અને પૂરમાં ઘણા ઘર નાશ પામ્યા છે ત્યારે બચાવકર્તાઓએ ઘરોમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સલામત સ્થળે ખસેડયા હતા. એક નિવેદનમાં, રવાન્ડાના રાષ્ટ્રપતિ પોલ કાગામે જણાવ્યું હતું કે, તેમની સરકાર અસરગ્રસ્ત લોકોને મદદ કરી રહી છે, અને સલામત સ્થળે ખસેડી રહી છે.
