પ્રધાનમંત્રીએ પેરિસની Climate Ambition Summitને સંબોધી હતી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ઐતિહાસિક પેરિસ જલવાયુ સમજૂતીની પાંચમી વર્ષગાંઠના પ્રસંગે Climate Ambition Summitને સંબોધિત કર્યુ હતુ. આ અવસરે પ્રધાનમંત્રી એ જણાવ્યુ હતુ કે, ભારત પેરિસ સમજૂતીના લક્ષ્યને પ્રાપ્ત કરવાની સાચી દિશામાં છે પણ ઉમ્મીદથી આગળ વધી તેના પર કાર્ય કરે છે. સાથે પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અને વૈશ્વિક ગઠબંધન જેવા બે મુખ્ય પાસાઓની ઘોષણા કરી હતી. તેમણે ઉમેર્યુ હતુ કે, અમારી નવીકરણીય ઉર્જા ક્ષમતા વિશ્વમાં ચોથા નંબરે છે. અમે 2005ની તુલનાએ ઉત્સર્જનમાં 21 ટકાની કમી કરી છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, અમારી સૌર ઉર્જા ક્ષમતા 2020માં વધીને 36 ગીગા વોટ થઇ અને 2022 પહેલા ભારતની સૌર ઉર્જા ક્ષમતા 175 ગીગા વોટ થઇ જશે.
