પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી COP-26 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બ્રિટનના ગ્લાસગો પહોંચ્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટલીમાં G-20માં ભાગ લીધા બાદ બ્રિટનના ગ્લાસગો પહોચ્યાં છે.અહીં તેઓ COP-26 માં ભાગ લેશે.COP-26 સંમેલનમાં 30 હજારથી વધુ પ્રતિનિધી અને 100થી વધુ દેશોના નેતા જળવાયુ કાર્બોવાયુ સહિતના મુદે વિચાર વિમર્શ કરવા એકત્રીત થઇ રહ્યાં છે. તેમનો ઉદ્દેશ્ય પેરીસ સમજુતીને લાગુ કરવો અને તમામ દેશોને તેમના આગામી દાયકામાં નેટ-ઝીરો ઉત્સર્જનને પ્રાપ્ત કરવાનો છે.સંમેલનનાં પ્રધાનમંત્રી મોદી સહિત વિવિધ સરકારોના 120 પ્રમુખ અને રાષ્ટ્ર પ્રમુખો સામેલ થશે.પ્રધાનમંત્રી COP-26 ઉપરાંત બ્રિટનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.
