પ્રધાનમંત્રી મોદીએ જાપાનના પ્રધાનમંત્રી શિંજા આબેને બે બાઉલની આપી ભેટ
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ જાપાનના પ્રધાનમંત્રી શિંજા આબેને ગુજરાતના ખંભાતમાં બનેલા બે બાઉલની ભેટ આપી
પ્રધાનમંત્રી મોદીએ જાપાન પ્રવાસ દરમિયાન શિષ્ટાચારના ભાગરૂપે જાપાનના પ્રધાનમંત્રી શિંજા આબેને બે બાઉલની ભેટ આપી હતી.આ બાઉલની વિશેષતા એ હતી કે તે ગુજરાતના ખંભાતમાં બનેલા હતા. ખંભાતમાં અકિકનું કામ કરતા શબીરભાઈ દ્વારા આ મૂલ્યવાન બાઉલ બનાવામાં આવ્યા હતા.પ્રધાનમંત્રીએ જાપાનમાં આપેલી ગુજરાતની આ ભેટથી ખંભાતના કારીગરો તેમજ તેમના પરિવારજનો આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ પ્રધાનમંત્રી મોદીનો આભાર પણ માન્યો હતો. નોંધનીય છે કે ખંભાતમાં બનતા અકિકના પત્થરો વિશ્વભરમાં વખણાય છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ આપેલી ખંભાતની આ ભેટ જાપાન માટે અમૂલ્ય સંભારણું બની રહેશે.
