પ્રધાનમંત્રી મોદીએ પશુપતિ ધર્મશાળાને ઉદ્ધાટન કર્યું હતું
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ બિમસ્ટેક સંમેલન બાદ ભારત- નેપાળ મૈત્રી પશુપતિ ધર્મશાળાને ઉદ્ધાટિત કરી હતી
પ્રધાનમંત્રી મોદીએ બિમસ્ટેક સંમેલન બાદ ભારત- નેપાળ મૈત્રી પશુપતિ ધર્મશાળાને ઉદ્ધાટિત કરી હતી અને આ પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે પશુપતિનાથ મંદિરના પ્રાંગણમાં બનેલી ધર્મશાળા ફક્ત ઇમારત નથી પરંતુ ભારત -નેપાળ મૈત્રીનું પ્રતિક નેપાળમાં પર્યટન વિકાસ માટે પણ મહત્વની છે. સાથે જ તેમણે નેપાળના પ્રધાનંત્રી કે.પી.શર્મા ઓલીનો આભાર માનતા જણાવ્યું હતું કે નેપાળે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલજીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું છે. નેપાળ અટલજીની કવિતાઓનો નેપાળી ભાષામાં અનુવાદ કરશે આ ઘણી ઉત્તમ બાબત છે. અને ભારત તેમનું આભારી છે. પ્રધાનમંત્રી મોદીએ બાદમાં વિશ્વપ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી અને ત્યારબાદ દિલ્હી જવા માટે રવાના થયા હતા.
