ફ્રાન્સે પાકિસ્તાન સામેની કાર્યવાહી બદલ ભારતનું સમર્થન કર્યું
Live TV
-
ફ્રાન્સના વિદેશ મામલોના પ્રવક્તાએ કહ્યું હતું કે પુલવામામાં ભારતીય સુરક્ષાદળો પર જૈશ એ મોહમ્મદ દ્વારા પ્રાયોજીત આતંકી હુમલાની નિંદા કરે છે. ફ્રાન્સ સીમા પાર આતંકવાદ સામે પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતની કોઇપણ કાર્યવાહીનું સમર્થન કરે છે.
ફ્રાન્સે પાકિસ્તાન સામેની કાર્યવાહી બદલ ભારતનું સમર્થન કર્યું છે. ફ્રાન્સના વિદેશ મામલોના પ્રવક્તાએ કહ્યું હતું કે પુલવામામાં ભારતીય સુરક્ષાદળો પર જૈશ એ મોહમ્મદ દ્વારા પ્રાયોજીત આતંકી હુમલાની નિંદા કરે છે. ફ્રાન્સ સીમા પાર આતંકવાદ સામે પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતની કોઇપણ કાર્યવાહીનું સમર્થન કરે છે. ફ્રાન્સે પાકિસ્તાનને કહ્યું હતું કે તે પોતાના ક્ષેત્રમાં આતંકી ગૃહોની કાર્યવાહી પર રોક લગાવે. ફ્રાન્સે ભારત અને પાકિસ્તાનને સંયમ જાળવવા અને સૈનિક કાર્યવાહીથી બચવાની સલાહ આપી છે.
