ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનમાં મચ્યો ખળભળાટ
Live TV
-
જમ્મુ કાશ્મીરના અખનૂર, નૌશેરા અને ક્રિષ્ણા ઘાટીમાં પાકિસ્તાન દ્વારા કરાયું યુદ્ધ વિરામનું ઉલ્લઘંન
ભારતીય વાયુસેના દ્વારા અંકુશ રેખાને પાર આતંકીની છાવણી પર એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. જેના કારણે હાલ પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા પર ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.જમ્મુ કાશ્મીરના અખનૂર, નૌશેરા અને ક્રિષ્ણા ઘાટીમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનું ઉલ્લઘંન કરવામાં આવી રહ્યું છે. આ સાથે ભારતીય સેના પણ પાકિસ્તાનને વળતો જવાબ આપી રહી છે.
