બાંગ્લાદેશ: 70 યાત્રીકોને લઈ જતી બોટ ડૂબી, 24 લોકોના મોત અને 30 લોકો લાપતા
Live TV
-
શ્રધ્ધાળુઓને બોદેશ્વરી મંદિર લઇ જઇ રહેલ એક બોટ ઊંધી વળી ગઈ.
બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી 400 કિલોમીટર દૂર પંચગઢ જિલ્લામાંથી એક દુર્ઘટના સામે આવી છે. રવિવારે કોરોટા નદીમાં હિન્દુ શ્રધ્ધાળુઓને બોદેશ્વરી મંદિર લઇ જઇ રહેલ એક બોટ ઊંધી વળી જતાં લગભગ 24 લોકોના મોત થયા હતાં, જ્યારે 30 થી વધુ લોકો લાપતા બન્યાં છે. બોટમાં 70 યાત્રિકો સવાર હતા. મૃતકોમાં આઠ બાળકો, ચાર પુરુષ અને 12 મહિલાઓ શામેલ છે. લાપતા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના ઓલિયા ઘાટ પર બની છે. આ બનાવ બાંગ્લાદેશના પંચગઢ જિલ્લામાં તે સમયે બની જ્યારે શ્રધ્ધાળુઓ મહાલયાના પ્રસંગે બોટમાં સવાર થઇને બોદેશ્વરી મંદિર જઇ રહ્યાં હતાં.
