બ્રાઝિલના રાષ્ટ્રપતિને કોરોના પોઝિટિવ, સક્રીય કેસની સંખ્યા 16.68 લાખને પાર
Live TV
-
ટ્વીટર પર PM નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી
બ્રાઝિલના રાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિ પણ કોરોના સંક્રમણનો શિકાર બન્યા છે. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં 16 લાખ 68 હજારથી વધુ લોકો સંક્રમણનો ભોગ બની ચુક્યાં છે. જ્યારે 66 હજારથી વધુ લોકોએ આ મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે..ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર લખ્યુ છે કે મારા મિત્ર બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો કોરોનાથી જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરુ છું..
બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. તેમણે કહ્યું કે મને કોરોનાના હળવા લક્ષણો છે અને મને કોઈ સમસ્યા નથી. બોલસોનારોએ કહ્યું, "હું ઠીક છું." મારી તબિયત સામાન્ય છે. હું અહીં ચાલવા પણ માંગુ છું, પરંતુ તબીબી સલાહને ધ્યાનમાં રાખીને તે કરી શકતો નથી. ''
મહત્વનુ છે કે કોરોના વાયરસથી પ્રભાવિત દેશોમાં યુએસ પછી બ્રાઝિલ વિશ્વમાં બીજા ક્રમે છે. અહીં 16 લાખથી વધુ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. જેમાં 65 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
બ્રાઝિલમાં 4 લાખ 95 હજારથી વધુ સક્રિય કેસ છે, જ્યારે 10 લાખથી વધુ લોકો સારવાર બાદ સાજા થયા છે.
