બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની મળી બેઠક
Live TV
-
બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં ભારતે આતંકવાદ વિરૂદ્ધ જંગ અને બહુપક્ષવાદમાં સુધારા પર પોતાનું વલણ ફરી એકવાર સ્પષ્ટ કર્યુ. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી જનરલ વિ.કે.સિંહે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું , તેમણે આતંકવાદનું કોઈ પણ રૂપે સમર્થન કરનારા વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા પર ભાર મુક્યો. તેમણે આતંકવાદ વિરૂધ્ધ વૈશ્વિક કોન્ફરન્સ પર પણ ભારતના વલણની રજુઆત કરી હતી. આ દરમિયાન ભારત અને બ્રાઝિલ વચ્ચે દ્વિપક્ષીય વાત પણ થઈ હતી. બંને દેશો વચ્ચે પ્રાદ્યોગિકીના ક્ષેત્રમાં સહયોગ સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી.
