ભારતે આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલભૂષણ જાધવના કેસમાં બીજા તબક્કાની દલીલમાં પોતાનો પક્ષ રાખ્યો
Live TV
-
ભારતે આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલભૂષણ જાધવના કેસમાં બીજા તબક્કાની દલીલમાં પોતાનો પક્ષ રાખ્યો. ભારત તરફથી સીનીયર વકીલ હરીશ સાલ્વેએ પાકિસ્તાન દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને બે -બુનિયાદ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે સુનાવણીને પાટા પરથી ઉતારવાના પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ત્રણ પ્રયત્ન નિષ્ફળ રહ્યા છે. હરીશ સાલ્વેએ કહ્યું હતું કે ભારતનું માનવું છે કે પાકિસ્તાને વિએના સંધિનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન જાધવ સામે પુરાવા રજૂ કરવામાં વિફળ રહ્યા છે. તેમણે પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમાં પણ પાકિસ્તાનનો હાથ છે. આ રીતે આંતરરાષ્ટ્રીય અદાલતમાં ભારતે તેમની માંગણીઓ સ્પષ્ટ રીતે રજૂ કરી હતી.
