ભારતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાકિસ્તાનની ટીકા કરી
Live TV
-
ભારતે માનવ અધિકાર કાર્યકર્તા, લઘુમતી સમુદાયના લોકો અને પત્રકારોની હત્યાને મુદ્દે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફરી ટીકા કરી છે.
ભારતે માનવ અધિકાર કાર્યકર્તા, લઘુમતી સમુદાયના લોકો અને પત્રકારોની હત્યાને મુદ્દે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફરી ટીકા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદની જીનેવામાં ચાલી રહેલી બેઠકમાં રાઇટ ટુ રીપ્લાય અધિકારનો ઉપયોગ કરતાં સ્થાનિક ભારતીય મીશનના પ્રથમ સચિવ પવન બાઘેએ જણાવ્યું કે પાકિસ્તાન સતત જૂઠ્ઠાણા બોલતું રહેશે તેથી ત્યાં થઇ રહેલા અત્યાચાર અને હત્યાઓની તસવીર નહીં બદલાય. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને તેના નેતૃત્વ સામે નફરત ફેલવનારા ભાષણોની મદદથી પાકિસ્તાન લઘુમતીના મનમાં ભારત પ્રતિ દ્વેશ ઉભો કરવા સતત પ્રયાસશીલ રહે છે.
