ભારતે શ્રીનગર-શારજાહ ફ્લાઇટને એરસ્પેસમાંથી પસાર થવા પાકિસ્તાનની પરવાનગીનો રાજદ્વારી સ્તરે ઉઠાવ્યો મુદ્દો
Live TV
-
ભારતે શ્રીનગર-શારજાહ ફ્લાઇટને તેના એરસ્પેસમાંથી પસાર થવા માટે પાકિસ્તાનની પરવાનગીનો મુદ્દો રાજદ્વારી સ્તરે ઉઠાવ્યો છે અને વ્યાપક હિતમાં તેને મંજૂરી આપવા માંગ કરી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે રાજદ્વારી ચેનલો દ્વારા આ મુદ્દો પાકિસ્તાન સાથે તાત્કાલિક ઉઠાવવામાં આવ્યો હતો અને ભારતે શ્રીનગર-શાહજાહ રૂટ માટે ટિકિટ બુક કરાવનારા સામાન્ય મુસાફરોના વ્યાપક હિતમાં પાકિસ્તાનના એરસ્પેસ દ્વારા ફ્લાઇટ્સને મંજૂરી આપવા માટે સંમત થયા છે. સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાન સત્તાવાળાઓએ 23, 24, 26 અને 28 ઓક્ટોબરે ગો-ફર્સ્ટની શ્રીનગર-શારજાહ ફ્લાઇટને તેના એરસ્પેસથી મંજૂરી આપી હતી. આ પછી, પાકિસ્તાને 31 ઓક્ટોબરથી 30 નવેમ્બર વચ્ચેના સમયગાળા માટે તે જ ફ્લાઇટની એરસ્પેસમાંથી પસાર થવાની પરવાનગી રદ્દ કરી હતી.
