ભારત અને તઝાકિસ્તાન વ્યુહાત્મક દ્વિપક્ષીય સંબંધો અને ભાગીદારી વધુ મજબુત કરવા સહમત થયા
Live TV
-
ભારત અને તઝાકિસ્તાન વ્યુહાત્મક દ્વિપક્ષીય સંબંધો અને ભાગીદારી વધુ મજબુત કરવા સહમત થયા છે. વિદેશમંત્રી એસ.જયશંકર અને તાજકિસ્તાનના વિદેશમંત્રી એસ.મુહરીદ્દીન વચ્ચે થયેલી વાતચીતમાં આ મુજબ સંમતિ થઇ હતી. આ સાથે એસ. જયશંકરે તઝાકિસ્તાનની મુલાકાત પૂર્ણ કરી છે. તેઓ ત્યાં SCO સંગઠનના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ગયા હતા. તે દરમિયાન વિદેશમંત્રી એસ.જયશંકર અને ચીનના વિદેશમંત્રી વાંગ-યીએ તઝાકિસ્તાનના દુશાનબે ખાતે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતેની વર્તમાન પરિસ્થિતિ અંગે ગઈકાલે ચર્ચા-વિચારણા કરી હતી. બંને આગેવાનોએ સરહદી વિવાદ અને સંલગ્ન મુદ્દાઓ તથા ભારત અને ચીનના સંબંધો અંગે પણ વિસ્તૃત મંત્રણા કરી હતી.
