ભારત, જર્મની અને જાપાનના વિદેશમંત્રીઓએ સુરક્ષા પરિષદમાં સુધારાની જરૂરિયાત પર ભાર મુક્યો
Live TV
-
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્ર પહેલા ભારત, જર્મની અને જાપાનના વિદેશમંત્રીઓએ ન્યુયોર્કમાં બેઠક કરીને સુરક્ષા પરિષદમાં સુધારાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. મંત્રીઓએ વિકાસશીલ દેશો અને મુખ્ય યોગદાન કર્તાઓ સહિત, સમકાલીન દુનિયાની વાસ્તવિકતાઓને પ્રતિબંદીત કરી તેને વધુ પ્રભાવી બનાવવા સુધારાની જરૂરીયાત પર ભાર મુક્યો હતો. જી-ચારના મંત્રીઓએ એ વાતની ફરીથી પુષ્ટી કરી હતી કે, બન્ને શ્રેણીઓ સ્થાઇ અને ગેર સ્થાયી સીટોના વિસ્તારના માધ્યમથી સુરક્ષા પરિષદમાં સુધારો કરવો અનિવાર્ય છે.. જી- ચારના મંત્રીઓએ એક સંશોધીત સુરક્ષા પરિષદમાં આકાંક્ષી નવા સ્થાઇ સભ્યના રૂપમાં એક બીજાની ઉમેદવારી માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. જી- ચારની બેઠક બાદ વિદેશ મંત્રી એસ.જયશંકરે ટ્વીટ કરીને જી- ફોરના વિદેશ મંત્રીઓની સાથે બહુપક્ષવાદમાં સુધારાની જરૂરિયાત ઉપર સ્પષ્ટ સંદેશ મોકલ્યો છે. નિશ્ચીત સમય મર્યાદા માં મજબુત પરિણામ માટે આહવાન કર્યું હતું.
