મુક્ત વેપાર સમજૂતી માટે ભારત અને બ્રિટેનની વચ્ચે આજે પહેલા તબક્કાની વાતચીત
Live TV
-
મુક્ત વેપાર સમજૂતી માટે ભારત અને બ્રિટેનની વચ્ચે આજે પહેલા તબક્કાની વાતચીત થઈ રહી છે. વાણિજ્ય વિભાગના સંયુક્ત સચિવ નીધીમણી ત્રિપાઠી ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે, ત્યાં બ્રિટેનનાં આંતરરાષ્ટ્રીય વેપાર વિભાગમાં ભારતની સાથે વાતચીતના નિર્દેશક હરજેંદર કાન પ્રતિનિધિત્વ મંડળની આગેવાની કરશે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે પાછલા ગુરુવારે નવી દિલ્હીમાં બ્રિટનની આંતરરાષ્ટ્રીય વેપાર રાજ્ય સચિવ એનિમેરી ટ્રેવેલીયનની સાથે મુક્ત વેપાર સમજૂતી વાતચીત શરૂ કરી હતી. FTAથી વર્ષ 2030 સુધી ભારત બ્રિટેનની વચ્ચે દ્વીપક્ષીય વેપારને બેવડુ કરવાનાં લક્ષ્ય સુગમ બનાવવાની આશા સેવાઈ રહી છે. આ લક્ષ્યને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પીએમ બોરીસ જોનસને મે 2021માં નિર્ધારીત કર્યું હતું.
