મોરક્કોમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મોતનો આંકડો 2,800ને પાર
Live TV
-
મોરક્કોમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં જાનમાલને ભારે નુકસાન પહોંચ્યુ છે.
મોરક્કોમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં જાનમાલને ભારે નુકસાન પહોંચ્યુ છે. બચાવ અને રાહત કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યુ છે. તો બીજી તરફ ભૂકંપને લીધે થયેલા મોતનો આંકડો 2,800ને પાર પહોંચી ગયો છે. જ્યારે 2500 લોકો ઘાયલ છે.
ઘણા દેશો રાહત અને સુવિધાને લગતી સામગ્રી લઇને પીડિતો વચ્ચે પહોંચી રહ્યા છે. સ્પેન, કતર, બ્રિટેન, ઇઝરાયલ અને UAEની ભાગીદારી ધરાવતા અભિયાનમાં દૂરના વિસ્તારોમાં રાહત સુરક્ષાની ટીમ પહોંચી રહી છે. તો આ ભૂકંપને કારણે શહેરી ક્ષેત્રના પ્રાચીન મારકેચ શહેરમાં સૌથી વધુ નુકસાન થયું છે. પ્રાચીન મારકેચ શહેરનો મહદઅંશેનો ભાગ યુનેસ્કોની વિશ્વ ધરોહર સૂચીમાં સામેલ છે. અહીં આવેલી તમામ પ્રાચીન ઇમારતો જમીનદોસ્ત થઇ ગઇ છે.
