યુક્રેનઃ અનાજની નિકાસ કરવા માટેનો અનાજ ટર્મિનલ એક અઠવાડિયાથી બંધ
Live TV
-
યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે અનાજની નિકાસ કરવા માટે બનાવાયેલા ટર્મિનલ કામ નથી કરી રહ્યા.
યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે અનાજની નિકાસ કરવા માટે બનાવાયેલા ટર્મિનલ કામ નથી કરી રહ્યા. નિપ્રો નદી પર આવેલો ડેમ તુટી જતાં આ અનાજ ટર્મિનલનું જળસ્તર નીચું જતું રહ્યું છે.
આ ટર્મિનલ છેલ્લા એક અઠવાડિયાથી કામ નથી કરી રહ્યા છે. ડેમ તુટી જતાં ટર્મિનલમાંથી પાણી વહી ગયું છે જેના કારણે જરુરી જળસ્તર ના હોવાથી આ ટર્મિનલ અત્યારે બંધ પડ્યા છે. ડેમ તુટવાના કારણે ટર્મીનલનું જળસ્તર 5 મિટર જેટલું નીચે ગયું છે. યુક્રેન આ ટર્મિનલ દ્વારા જ વિદેશમાં અનાજની નિકાસ કરે છે. મરિયાસ્કેમાં જેલેનોડોસ્ક ગ્રેન ટર્મિનલના ડાયરેક્ટર ઓલેક્સી મુદ્રાકે જણાવ્યું છે કે, આ ગ્રેન ટર્મિનલના જળાશયનું સ્તર આવનારા ઘણા દિવસો સુધી નીચે જ રહેશે.
