લીબિયા: અપહરણ કરાયેલા સાત ભારતીયોને કરાયા મુક્ત, ટ્યુનિશિયામાં ભારતીય મિશને નિભાવી મહત્વપૂર્ણ ભૂમિકા
Live TV
-
લીબિયામા અપહરણ કરાયેલ 7 ભારતીઓને મુક્ત કરાયા છે. ટ્યુનિશિયામા ભારતીય રાજદુત પુનિત રાય કુંદલે તેમને મુક્ત કર્યા અંગેની જાણકારી આપી છે. ગુજરાત, આન્ધ્રપ્રદેશ, બિહાર અને ઉત્તર પ્રદેશના રહેવાસી આ 7 ભારતીઓને 14 સપ્ટેમ્બરે લીબીયાના અશ્વરીથી અગવા કરી લેવાયા હતા. લીબિયામા ભારતીય દુતાવાસ આવેલુ નથી પણ તેના પાડોશી દેશ ટ્યુનિશિયામા ભારતીય દુતાવાસ આવેલુ છે જે લિબિયામા રહેલા ભારતીય નાગરીકોની દેખભાળ કરે છે. લીબીયા સરકાર અને ત્યા રહેલા આંતરરાષ્ટ્રીય સંગઠનોની મદદથી આ 7 ભારતીય નાગરીકોને મુક્ત કરવામાં આવ્યા હતા.
