લોકશાહી વિશે લોકોમાં જાગૃતિ આણવા પ્રતિ વર્ષ 15 સપ્ટેમ્બરે ઉજવાતો આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ
Live TV
-
લોકશાહી વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ વિશ્વના જે દેશો લોકશાહી છે તેને લોકશાહીની સમીક્ષા કરવાની તક પૂરી પાડે છે. યુ.એન. હંમેશા માને છે કે લોકશાહી સમાજમાં માનવાધિકાર અને કાયદાનું શાસન હંમેશા સુરક્ષિત છે. યુ.એન. હંમેશા માનવ અધિકારો અને વિકાસના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 8 નવેમ્બર, 2007ના રોજ, યુ.એન. જનરલ એસેમ્બલીએ દર વર્ષે 15 સપ્ટેમ્બરના દિવસે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો. આ દિવસે એસેમ્બલી આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપે છે.
