લોકોના ઉગ્ર દેખાવને પગલે લેબનાનના હિઝબુલ્લા સમર્થિત સરકારે આપ્યું રાજીનામું
Live TV
-
4 ઓગસ્ટે લેબનાનના બૈરૂતમાં થયેલા વિનાશકારી વિસ્ફોટમાં 163 લોકોના થયા હતા મોત, હજારો લોકો થયા હતા ઘાયલ
લેબનાનની રાજધાની બૈરૂતમાં ગત 4 ઓગસ્ટે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 163 લોકોનાં મોત થયા હતા અને હજારો લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. આ ઘટનાને પગલે સરકાર સામે લોકોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. જેને પગલે લેબનાનના પ્રધાનમંત્રી હસન દિઆબ સહિત સમગ્ર મંત્રીમંડળે રાજીનામુ આપી દીધું છે. મહત્વનું છે કે, આ વિસ્ફોટના કારણે અનેક ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું હતું. ભીષણ વિસ્ફોટને લીધે ચારે બાજુના વિસ્તારોમાં ભારે નુકસાની થઈ હતી. પ્રચંડ વિસ્ફોટથી 10 કિલામીટરના વિસ્તારમાં આવેલા મકાનો, હોસ્પિટલ, દુકાનો અને રેસ્ટોરન્ટમાં ભારે નુકશાન પહોંચ્યુ હતું.
