વાતચીત - કરારોથી ચીન આક્રમક વર્તણૂકને બદલશે નહીં: યુ.એસ
Live TV
-
યુ.એસ.ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયને ચીન પર આક્ષેપ કરતાં કહ્યું કે ચીને આક્રમણ કરી ભારત સાથેની એલ.એ.સી. પર નિયંત્રણ મેળવવાની કોશિશ કરી છે.
યુ.એસના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ પોતના નિવેદનમાં જણાવ્યુ કે ચીન દ્રારા ભારત-ચીન નિયંત્રણ રેખા પર લગભગ 60,000 સૈનિકો તૈનાત કરાયા છે. તેમણે કહ્યું કે, ચીની કમ્યુનિસ્ટ પાર્ટીએ ક્વાડ દેશો - ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસ એમ ચાર મોટી લોકશાહી અને સાથે જ આ ચાર શક્તિશાળી અર્થવ્યવસ્થા માટે જોખમ ઉભું કર્યું છે.
મંગળવારે ટોક્યોમાં ક્વાડ દેશોના વિદેશ પ્રધાનો મળ્યા હતા. ભારત-પ્રશાંત તથા દક્ષિણ ચીન સમુદ્ર અને પૂર્વી લદ્દાખમાં એલએસી પર ચીનના આક્રમક સૈન્ય વર્તનના મુદ્દે આ ક્વાડ બેઠક મળી હતી.
