વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આતંકવાદને વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે સૌથી મોટો પડકાર ગણાવ્ય
Live TV
-
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 73મી સભાને બેઠકને સંબોધિત કરતાં સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે આતંકવાદનો રાક્ષસ દુનિયાભરમાં ઝડપથી પગ પ્રસરાવી રહ્યો છે અને ભારતનું દુર્ભાગ્ય છે કે આ પડકાર તેને પડોશી દેશથી મળી રહ્યો છે
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આતંકવાદને વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે સૌથી મોટો પડકાર ગણાવ્યો વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 73મી સભાને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે પાકિસ્તાન ઉપર જોરદાર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, આતંકવાદનો રાક્ષસ દુનિયાભરમાં ઝડપથી પગ પ્રસરાવી રહ્યો છે અને ભારતનું દુર્ભાગ્ય છે કે આ પડકાર તેને પડોશી દેશથી મળી રહ્યો છે. ભારત પાકિસ્તાન સાથે વાતચીત કરવા તૈયાર નથી. તે વાતને વિદેશમંત્રીએ નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે, વાતચીત અને આતંકી પ્રવૃત્તિ એક સાથે ચાલી શકે નહીં. વિદેશમંત્રી એ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની ખાસ જરૂર છે. તેમણે કહ્યું કે, વર્તમાન ચાલુ નિયમોમાં બદલાવની જરૂરિયાત છે.
