વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે મંડેલા શાંતિ સંમેલનને સંબોધન કર્યું
Live TV
-
સંયુક્ત રાષ્ટ્રના 73મા અધિવેશનમાં ભાગ લેવા પહોંચેલા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ગઈકાલે મંડેલા શાંતિ સંમેલનને સંબોધન કર્યું હતું. વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સમર્પિત આતંકવાદ આજે પણ વિશ્વ સમક્ષ મોટો ખતરો છે
સંયુક્ત રાષ્ટ્રના 73મા અધિવેશનમાં ભાગ લેવા પહોંચેલા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ગઈકાલે મંડેલા શાંતિ સંમેલનને સંબોધન કર્યું હતું. વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સમર્પિત આતંકવાદ આજે પણ વિશ્વ સમક્ષ મોટો ખતરો છે. વિદેશમંત્રીએ ગઈકાલે અનેક દેશના પદાધિકારીઓ તેમજ તેમણે કોલંબિયા સ્પેન અને જાપાનના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના તેમજ યુરોપીય સંઘના પ્રતિનિધિ સાથે પણ મુલાકાત કરી હતી. બંને નેતાઓએ સમાન મૂલ્યો લોકશાહી મૂલ્યો વેપાર રોકાણ અને પારસ્પરિક સહયોગ વધારવાને મુદ્દે વાતચીત કરી હતી. વિદેશમંત્રીએ ઓસ્ટ્રેલિયા અને મોંગોલિયા સહિત દેશના વિદેશમંત્રી સાથે મુલાકાત કરીને દ્વિપક્ષી મુદ્દે ચર્ચા કરી હતી.
