વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર ઈઝરાયેલના પ્રધાનમંત્રી નફતાલી બેનેટ સાથે બેઠક કરી
Live TV
-
ઈઝરાયેલની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે ગઈકાલે ઈઝરાયેલના પ્રધાનમંત્રી નફતાલી બેનેટ સાથે બેઠક કરી છે. ટ્વીટ સંદેશમાં જયશંકરે જણાવ્યું કે, બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે વ્યુહાત્મક ભાગીદારી વિકસાવવા અંગે સમૃદ્ધ ચર્ચા કરાઈ છે. તેમણે કહ્યું કે, બેનેટનો હેતુપુર્ણ અને કેન્દ્રીય અભિગમ પ્રોત્સાહજનક હતો. તેમનો વ્યુહાત્મક દ્રષ્ટિકોણ મુલ્યવાન હતો. જયશંકરે ઉમેર્યું કે, બંને દેશો આવતા 30 વર્ષની સહભાગીતા કાર્યયોજના પર કાર્ય કરશે. તેમણે રાષ્ટ્રપતિ ઈસાક હેરઝોગ સાથે પણ મુલાકાત કરી હતી, જે દરમિયાન ભૂરાજનૈતિક ક્ષેત્રે પરીવર્તનો અંગે ચર્ચાઓ કરાઈ હતી. શ્રી જયશંકરે દ્વિપક્ષીય સંબંધોની વધુ ઊંડા બનાવવાની ઈઝરાયેલના રાષ્ટ્રપતિની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે.
