સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદ મુદ્દે ભારતને મળી મોટી સફળતા
Live TV
-
સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિમાં આતંકી સંગઠનને મળનાર ફંડિંગ ઉપર રોક લગાવવા અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો
આતંકવાદ ઉપર અંકુશ મેળવવાની કોશિશમાં ભારતને મોટી સફળતા મળી છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિમાં આજે એક ઠરાવ પસાર કરવા માં આવ્યો છે. જેનો હેતુ આતંકી સંગઠનને મળનાર ફંડિંગ ઉપર રોક લગાવવાનો છે. એટલે કે જે દેશ આતંકી ફંડિંગને ઉત્તેજન આપે છે., તેની વિરૂદ્ધ સંયુક્ત રાષ્ટ્રના સ્તરે કાર્યવાહી થશે. આ ઠરાવ પસાર થવાના પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી સભ્ય સૈયદ અકબરુદ્દીને પાકિસ્તાનને ફટકાર લગાવી છે. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પસાર કરેલ ઠરાવ અનુસાર હવે આંતકી ફંડિંગ ઉપર લગામ લગાવાશે. જે દેશ આતંકીને આશ્રય આપે છે તેઓ નિયમોનું ઉલ્લંઘન કરે છે.
