સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનો બે વર્ષનો સ્થાયી સદસ્ય તરીકેનો કાર્યકાળ આજથી શરૂ
Live TV
-
ભારતીય રાષ્ટ્ર ધ્વજ લગાવ્યાની સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનો બે વર્ષનો સ્થાયી સદસ્ય તરીકેનો કાર્યકાળ આજથી શરૂ.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતીય ધ્વજ લહેરાતાની સાથે જ ભારતનું બે વર્ષ માટે અસ્થાયી સદસ્ય રૂપે કાર્યકાળ શરૂ થઈ ગયો છે.. ભારતનાં ધ્વજની સાથે અન્ય 4 અસ્થાયી સદસ્યો જેમાં આઈલેન્ડ, કેન્યા, મેક્સીકો અને નોર્વેનાં રાષ્ટ્રધ્વજ પણ પહેલા અધિકારીક કાર્ય દિવસે વિશેષ સમારોહ દરમ્યાન લગાવવામાં આવ્યા હતા..આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્ર પર ભારતનાં પ્રતિનીધિ રાજદૂત ટી.એસ. ત્રીમુર્તીએ ત્રીરંગો લગાવ્યો અને કહ્યુ કે, ભારત તેનાં કાર્યકાળનો ઉપયોગ માનવ કેન્દ્રીત અને વૈશ્વીક શાંતિના મામલાઓમાં સમાધાન લાવવા પર કામ કરશે.. સાથે જ તેઓએ કહ્યુ કે ભારત આતંકવાદ જેવા માનવતાનાં દુશ્મનોની સામે અવાજ ઉઠાવવામાં ક્યારેય પાછળ નહી રહે.
