સાઉથ કોરિયા અને ભારત દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા સહમત
Live TV
-
સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન અને વડાપ્રધાન મોદીની ટેલિફોનિક વાતચિત થઈ હતી. વાતચિત દરમિયાન દક્ષિણ કોરિયા અને ભારતે કોરોના વાયરસ પછીના યુગમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા પર સહમત થયા હતા, તેમજ કોરોના મહામારીને લગતા પ્રતિસાદરૂપે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી સાધવા સહમતી પણ દર્શાવી હતી.
રાષ્ટ્રપતિ મૂન જે-ઇન બુધવારે દક્ષિણ કોરિયાના વેપાર પ્રધાન યુ મ્યુંગ-હેનેને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO)ના વડા બનવાની સ્પર્ધામાં જીતાડવા માટે મદદ કરવા જણાવ્યું હતુ. તેઓએ ડેનમાર્કના મેટ્ટે ફ્રેડરિકસેન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી સહયોગ આપવા જણાવ્યું હતુ.
પ્રવક્તા કાંગ મીન-સીઓકે જણાવ્યું કે,યુ મ્યુંગ-હેને વ્યાપાર સંબંધી અને રાજકીય નેતૃત્વ અંગેની કુશળતા ધરાવતા ઉમેદવાર છે.અદ્યતન અને વિકાસશીલ દેશોના હિતોને સમાયોજિત કરવા અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં સફળતાપૂર્વક સુધારો કરવા માટે તે યોગ્ય વ્યક્તિ છે.
