સાયપ્રસમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને સાયપ્રસના રાષ્ટ્રપતિ વચ્ચે પ્રતિનિધિમંડળસ્તરની બેઠક
Live TV
-
સાયપ્રસમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્વાગત કર્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને સાયપ્રસના રાષ્ટ્રપતિ વચ્ચે પ્રતિનિધિમંડળસ્તરની બેઠક થઈ હતી. જેમાં ભારત અને સાયપ્રસ વચ્ચે બે મહત્તવના મુદ્દે સમજૂતી થઈ છે , જેમાં પર્યાવરણ અને મની લોન્ડરીંગના મુદ્દે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ભારત અને સાયપ્રસના પ્રતિનિધિ મંડળની પરસ્પર દ્રિપક્ષીય ચર્ચા થઈ હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ સાયપ્રસની પાર્લામેન્ટને સબોધતા જણાવ્યું કે, ભારત અને સાયપ્રસના સંબંધ પ્રાચિન સમયથી છે, આ સાથે તેમણે હાલના સમયમાં થયેલા ભારતના આર્થિક વિકાસ અને જીડીપી ગ્રોથની વાત સભાને કરી અને ભારતને લેન્ડ ઓફ ઓપોચ્યુનીટી ગણાવ્યું હતું. રીન્યુએબલ એનર્જી અને સોલાર એનર્જી જેવા વૈશ્વીક મુદ્દા પર બંન્ને દેશો સાથે મળીની કામ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
