સુદાનમાં લશ્કરી અને અર્ધ લશ્કરી દળો વચ્ચે સંઘર્ષમાં 27 લોકોના મોત
Live TV
-
સુદાનમાં લશ્કરી અને શક્તિશાળી અર્ધલશ્કરી દળો વચ્ચે શરૂ થયેલા સંઘર્ષમાં કમસેકસ 27 લોકોના મોત થયા છે અને મોટાપાયે લોકોને ઈજા થઈ હતી, તેમ ડોક્ટરે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુદાનમાં ઓક્ટોબર 2021માં થયેલા લશ્કરી બળવા પછી જનરલો વચ્ચે અસંતોષ ચાલી રહ્યો છે. બંને દળો એરપોર્ટ પર અંકુશ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. ગ્રૂપે ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં ચાલતી અથડામણોમાં સંખ્યાબંથ લોકોને ઈજા થઈ હતી. આ આફ્રિકન દેશમાં ગમે ત્યારે લશ્કરી અથડામણ ફાટી નીકળે તેવા સંઘર્ષો હોઈ ત્યા વસતા ભારતીયોને ઘરમાં જ રહેવાની સલાહ ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે.
