PM મોદીએ આજે વિયેતનામના પ્રધાનમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હ સાથે ફોન પર વાતચીત કરી હતી.
ગત મહિને આસિયાન-ઈન્ડિયા વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પણ પ્રધાનમંત્રીએ તેમની સાથે વાત કરી હતી અને આ વાતનો ઉલ્લેખ ફોનમાં કરી પ્રધાનમંત્રીએ તેમની સાથે ખુશી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ પોતાની વાતચીતમાં કહ્યું કે, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં આપણી ભાગીદારી મહત્વની છે. બંને દેશો વચ્ચે પારસ્પરિક સંબંધો વધી રહ્યા છે અને નવા ક્ષેત્રોમાં કામ થઈ રહ્યું છે. અમે વિયેતનામ સાથે પોતાના સંબંધોને લોંગ ટર્મ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે.
