Twitterના CEO પદેથી જેક ડોર્સીએ આપ્યું રાજીનામું, નવા CEO પરાગ અગ્રવાલ બનશે
Live TV
-
જેક ડોર્સીએ ટ્વીટરના સીઈઓ પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે ટ્વીટરના નવા સીઈઓ તરીકે પરાગ અગ્રવાલની નિમણુંક થનાર છે. જેક ડોર્સીએ પોતાનું રાજીનામું આપવાની સાથે જે નવા સીઈઓ પદે પરાગ અગ્રવાલની નિમણુંક થવાની જાણકારી આપી હતી. પરાગ અગ્રવાલ અત્યારે ટ્વીટર કંપનીમાં ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) તરીકે કામ કરી રહ્યા છે.
પરાગ અગ્રવાલ IIT મુંબઈમાં ભણ્યા છે. ત્યાર બાદ તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. તેમણે એટોમિક એનર્જી સેન્ટ્રલ સ્કુલમાં પણ અભ્યાસ કર્યો છે. પરાગ અગ્રવાલ 2011ના વર્ષમાં ટ્વીટરમાં જોડાયા હતા. આ પહેલાં પરાગ અગ્રવાલ AT&T, Yahoo અને Microsoft કંપનીમાં કામ કરી ચૂક્યા છે.
