UAEએ ભારતીય નાગરિકોની સ્વદેશ વાપસી માટેના પ્રયાસો ઝડપી કર્યા
Live TV
-
યુએઈમાં ભારતીય મિશન દ્વારા સ્વદેશ જવા ઇચ્છૂક ભારતીય નાગરિકોને ઇ-રજિસ્ટર કરાવવાનું કહ્યું છે. ભારતીય નાગરિકો અબુધાબીમાં ભારતીય દૂતાવાસની વેબસાઇટ અથવા દુબઈમાં ભારતના વાણિજ્ય દૂતાવાસની વેબસાઇટ પર નોંધણી કરાવી શકે છે. જેમાંથી ભારત પરત ફરવા માંગતા લોકો માટે ડેટાબેસ બનાવશે.
ભારતીય મિશને એક નિવેદનમાં કહ્યું છે કે આ ઇ-નોંધણીનો હેતુ ફક્ત માહિતી એકત્રિત કરવાનો છે, જેથી દેશના જુદા જુદા ભાગોમાં ઘરે પરત ફરવા માંગતા લોકોની સંખ્યાનો અંદાજ લગાવી શકાય. આ ભારત સરકારને વ્યૂહરચના ઘડવામાં મદદ કરશે.
ઘરે પાછા ફરવા માંગતા લોકોએ પરિવારના દરેક સભ્ય માટે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે. જે કંપનીઓ તેમના કર્મચારીઓને પરત મોકલવા માંગે છે તે દરેક કર્મચારી માટે અલગથી ભરવા પડશે. ફોર્મમાં ફક્ત પાસપોર્ટ, મોબાઇલ નંબર અને ભારતમાં તમારું મૂળ સરનામું જેવી સામાન્ય માહિતીનો ઉલ્લેખ કરવાનો રહેશે.
